નાઈજીરિયામાં બોમ્બ વિસ્ફોટ: 50થી વધુના મોત

  • January 26, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાઈજીરિયામાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 50થી વધુ પશુપાલકોના મોત થયા છે. એક ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ મધ્ય નાઈજીરિયામાં થયો હતો, જેમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અગણિત લોકો ઘાયલ થયા છે.
​​​​​​​

મળતી માહિતી મુજબ જ્યાં વિસ્ફોટ થયો હતો, તે વિસ્તાર વંશીય અને ધાર્મિક તણાવ માટે જાણીતો છે. એવું જાણવા મળે છે કે પશુપાલકો અને તેમના પશુઓ નસારાવા અને બેનુ રાજ્યોની સરહદ પર આવેલા ગામ રુકુબીમાં હતા, ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

નાઈજીરીયાના મિયાતી અલ્લાહ કેટલ બ્રીડર્સ એસોસિયેશનના પ્રવક્તા તાસીયુ સુલેમાને જણાવ્યું હતું કે, ફુલાની પશુપાલકોનું એક જૂથ તેમના ઢોરને બેનુથી નસારાવા તરફ લઈ જઈ રહ્યું હતું ત્યારે વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. સુલેમાને કહ્યું કે ઓછામાં ઓછા 54 લોકોના મોત થયા છે. 

નાસરવાના ગવર્નર અબ્દુલ્લાહી સુલેએ વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા છે, તે હજી સુધી જણાવ્યું નથી. જો કે આ બ્લાસ્ટ પાછળ કોનો હાથ છે તે અંગે તેણે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે, તેઓ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી રહ્યા છે જેથી આ ઘટનાને કારણે તણાવ ઓછો થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application