પરવાડીયા હોસ્પિટલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય અને ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો- સંસદ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે: 50000 લોકો માટે જમણવારનું આયોજન
જસદણ- વિછીયા તાલુકાની અને ભાવનગર જિલ્લાના હજારો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ એક વર્ષમાં ૬૦ હજાર જેટલા લોકોએ તેનો લાભ લીધો છે. આજે સાંજે આ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગમાં કેથલેબ અને બે મોડ્યુલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ઉમદા ઉદાહરણ સ્વરૂપ આ કાર્યક્રમ છે. પરંતુ સાથોસાથ લોકસભાની ચૂંટણી પૂર્વે ડોક્ટર ભરતભાઈ બોઘરા દ્વારા શક્તિ પ્રદર્શન માટેનો આ કાર્યક્રમ હોવાનું રાજકારણમાં બોલાઈ રહ્યું છે.
આટકોટના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ, ધારાસભ્યો- સંસદ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે હજારોની સંખ્યામાં રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના ભાજપના આગેવાનો કાર્યકરો પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે. 50000 થી વધુ લોકો માટે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકારણમાં ચર્ચાતી વિગત મુજબ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જસદણની બેઠક પરનો દાવો જે રીતે ડોક્ટર ભરતભાઈ બોઘરાએ આસાનીથી જતો કર્યો હતો ત્યારથી જ એક એવી વાત શરૂ થઈ ગઈ હતી કે લોકસભાની ૨૦૨૪ માં યોજાનારી ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ભાજપ બોઘરાને ટિકિટ આપશે.
પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણના અને ઉદઘાટનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે સાંજે પાંચ ૫-૧૫ વાગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી છ વાગ્યા આસપાસ આટકોટ પહોંચશે. મુખ્યમંત્રીના સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આટકોટનો કાર્યક્રમ પૂરો કરીને મુખ્યમંત્રી રાત્રે 8:30 વાગ્યા આસપાસ રાજકોટ પરત કરશે અને અહીંથી ગાંધીનગર જવા નીકળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech