બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં ૧૫મી ઓગસ્ટ સુધીમાં ન્યાયાધીશ ન નિમાય તો તાળાબંધી

  • July 24, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાર એસોસિએશનની કારોબારી દ્રારા ઠરાવ : ચાર્જ અમદાવાદ હોવાથી રાજકોટ સહિતના  શહેરોના લોકોને થતાં ધક્કા




રાજકોટ બાર એસોસિએશનની કારોબારી કમિટીની મીટીંગમાં રાજકોટમાં કાર્યરત બોર્ડ ઓફ નોમીનીઝ  કોર્ટમાં આગામી ૧૫મી ઓગષ્ટ્ર સુધીમાં  ન્યાયાધીશની નિમણૂક કરવામાં નહિ આવે તો આગામી તા.૧૯મી ઓગષ્ટ્રના રોજ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં તાળા બંધી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.





રાજકોટ ખાતેની કાર્ય૨ત બોર્ડ ઓફ નોમીનીઝ બે  કોર્ટમા છેલ્લા તારીખ–૭૩૨૦૨૩થી કોઈ ન્યાયાધીશોની નીમણુક કરવામા આવી નથી. તે અંગેની રાજકોટ બાર એસોસિએશન દ્રારા અરજી કરી રજુઆત કરવામાં આવતા રાજકોટ બાર એસોસિએશન દ્રારા તા.૧૬૨૦૨૩ ના રોજ રાજકોટની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં ન્યાયાધીશની નીમણુક અંગે સહકાર મંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ ન્યાયાધીશની નીમણુક કરવામા આવેલ નથી. ગુજરાત રાજયમા બોર્ડ ઓફ નોમીનીઝની ૧૮ કોર્ટમાંથી માત્ર ૪ કોર્ટ અમદાવાદ ખાતે નીયમીત ચાલુ છે, તેથી ત્યાંના જજોની તમામ બોર્ડ ઓફ નોમીનઝ કોર્ટનો આખા ગુજરાતનો ચાર્જ છે.




જેથી આખા ગુજરાતના અ૨જદારોએ અમદાવાદ જવું પડે છે. તેજ રીતે બોર્ડ ઓફ નોમીનીઝ ટિ્રબ્યુનલ કોર્ટ બે અમદાવાદ ખાતે આવેલ છે તેમાં પણ કોઈ ન્યાયાધીશોની નિમણુકં થયેલ ન હોય જેથી તા.૧૫૮૨૦૨૩ સુધીમાં રાજકોટ ખાતેની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં કોઈ જજની નીમણુક સરકાર દ્રારા કરવામાં નહી આવે તો તા.૧૯૮૨૦૨૩ના રોજ સવારે ૧૧ કલાકે બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટને તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાજકોટ બાર એશોસીએશન દ્રારા રાખવાનું આજની મિટિંગમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application