લોકસભા ચૂંટણી 2024નો ઉત્સાહ સતત વધી રહ્યો છે. કેરળના તિરુવનંતપુરમથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરને માનહાનિની નોટિસ મોકલી છે. રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે લોકસભાનો અન્યાયી લાભ લેવા માટે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી અને તેમની છબીને કલંકિત કરવામાં આવી.
આ નોટિસ શશિ થરૂરને તેમના નિવેદનને લઈને આપવામાં આવી છે જેમાં શશિ થરૂરે રાજીવ ચંદ્રશેખર પર મતદારોને પૈસા વહેંચવાનો અને ખ્રિસ્તી સમુદાયમાં જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે રાજીવ ચંદ્રશેખરે શશિ થરૂરને 24 કલાકનો સમય આપ્યો છે કે તેઓ તેમના પર લગાવવામાં આવેલા વોટ માટે રોકડના ખોટા આરોપો પાછા ખેંચે અને તેના માટે જાહેરમાં માફી માંગે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “શશિ થરૂરે રાજીવ ચંદ્રશેખર વિરૂદ્ધ એક ઈન્ટરવ્યુમાં લગાવેલા આરોપો પાયાવિહોણા અને ખોટા છે અને તેમની છબી ખરાબ કરીને લોકસભા ચૂંટણીમાં તેમને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી લગાવવામાં આવ્યા છે. "શશિ થરૂરે આ માટે બિનશરતી જાહેર માફી માંગવી જોઈએ અને તેમના નિવેદનો પાછા ખેંચવા જોઈએ અને ભવિષ્યમાં આવા ખોટા નિવેદનો અને અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ."
લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના નેતા શશિ થરૂરે કેરળની એક સ્થાનિક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે રાજીવ ચંદ્રશેખર પર મતદારોને પૈસા વહેંચવાનો અને ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્ટરવ્યુનો આ ભાગ 6 એપ્રિલે પ્રસારિત થયો હતો. તેણે કહ્યું હતું કે, "રાજીવ ચંદ્રશેખરે એક ખાસ સમુદાયના ધાર્મિક નેતાઓને પૈસાની ઓફર કરી છે." જ્યારે રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech