કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા દિલીપભાઈ પરબતભાઈ ઓડીચ નામના ૨૪ વર્ષના બ્રાહ્મણ યુવાનને તેમના પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. આટલું જ નહીં, દિલીપભાઈના ભાઈ તથા ભાભી સાથે પણ તેમના પત્નીને નાની-નાની વાતમાં બોલાચાલી તેમજ રકઝક થતી હતી.
આ બાબતથી કંટાળેલા દિલીપભાઈ ઓડીચને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે પશુઓમાં જીવાત મારવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.