ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ચનાભાઈ બાટા નામના ૩૫ વર્ષના યુવાનની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રિસામણે ગઈ હતી. તેણીને મનસુખભાઈ તેડવા ગયા હોવા છતાં તેણી પરત આવી ન હતી.
આ બાબતે મનસુખભાઈને મનમાં લાગી આવતા ગત તા. ૪ ના રોજ તેમણે પોતાના ઘર છતની હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હસમુખભાઈ ગોવિંદભાઈ બાટા (ઉ.વ. ૪૫, રહે. મોરઝર, તા. ભાણવડ) એ સ્થાનિક પોલીસને કરી છે.