નવભારત નિર્માણ અને સુશાસન માટે ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ - કેન્દ્રીય મંત્રી માંડવિયા

  • January 16, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં સુશાસન સહયોગી સન્માન સમારોહ સાથે રક્તદાન શિબિર


ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સુશાસન સહયોગી સન્માન સમારોહ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રહેલા કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવિયાએ નવભારત નિર્માણ અને સુશાસન માટે ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું. અહી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી. 


ભારતીય જનતા પક્ષ માટે સત્તા મહત્વની નથી, પરંતુ સામાજિક જવાબદારી મહત્વની છે, તેમ કહી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ નવભારત નિર્માણ અને સુશાસન માટે ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું. 


મનસુખભાઈ માંડવિયાએ ભાવનગર જિલ્લાના વિજયી બનેલા ધારાસભ્યોને શુભકામના પાઠવી સંઘ પરિવારના શ્રી દિનદયાળ ઉપાધ્યાયના સ્મરણ સાથે 'એકાત્મ માનવ વાદ' સાથે તેમના સંદેશાને આત્મસાત કરવા ભાર મૂક્યો. ભાજપ દ્વારા કોરોના, ભૂકંપ, અતિવૃષ્ટિ કે અન્ય સેવાકાર્યોની ભૂમિકાનો ઉલ્લેખ કરી ચૂંટણી માટે નહિ પણ સમાજ ઉત્થાન માટે કાર્યકર્તાઓ રહેતા હોવાનું જણાવ્યું.


ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા આ સમારોહમાં વિજયી ધારાસભ્યો  શિવાભાઈ ગોહિલ, શંભૂનાથજી ટુંડિયા,  ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણનું મહાનુભાવોના હસ્તે તેમજ શુભેચ્છકો દ્વારા સન્માન અભિવાદન કરાયેલ. અહી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.


ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ  ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ રહી, તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની એક પછી એક વૈશ્વિક સિદ્ધિઓની નોંધ લઈ આપણું ગૌરવ ગણાવ્યું. છેવાડાના માણસ સુધી ભાજપ કામ કરી રહ્યાંનું જણાવી રાજકીય પ્રતિનિધિઓને પણ તે માટે જનસેવા દ્વારા સુશાસન માટે મંડી રહેવા અનુરોધ કર્યો.


ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મૂકેશભાઈ લંગાળિયાએ પ્રારંભે સ્વાગત ઉદ્દબોધનમાં ભાજપના વિક્રમરૂપ વિજય માટે સૌ કાર્યકર્તાઓને બિરદાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે નાગરિકોનો પ્રેમ રહ્યાનો હરખ વ્યક્ત કર્યો.


આ પ્રસંગે ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા બેઠકના ભાજપ વિજયના ૧૫૬ આંકડાના લક્ષ્યાંક સાથે રક્તદાન શિબિરનું પ્રેરણાદાયી આયોજન થયું હતું.આ પ્રસંગે સન્માનિત ધારાસભ્યો પૈકી શંભુનાથજી ટુંડિયાએ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.


આભાર વિધિ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે કરી હતીઅહી  પાર્થ વ્યાસ દ્વારા અટલબિહારી વાજપેયીની રચના રજૂ થઈ હતી.નાનુભાઈ ડાખરાના સંચાલન સાથે ભાજપ મહામંત્રીઓ હરેશભાઈ વાઘ, કેતનભાઈ કાંત્રોડિયા સાથે ભૂપતભાઈ બારૈયાનું આયોજન સંકલન રહ્યું હતું.


સિહોર ખાતેના આ સન્માન સમારોહમાં ભાજપ અગ્રણીઓ  મહેન્દ્રસિંહ સરવૈયા,  રઘુભાઈ હુંબલ, કેશુભાઈ નાકરાણી, ડો.  કાનાબાર, રાઘવજીભાઈ મકવાણા,  રેખાબેન ડુંગરાણી, ચિથરભાઈ પરમાર,  હર્ષદભાઈ દવે, પેથાભાઈ આહીર સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા અને વિવિધ સંસ્થા સંગઠન દ્વારા વિજયી ધારાસભ્યોનું સન્માન અભિવાદન કરાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application