ડબલ આઈપીએલ માટે બીસીસીઆઈ બનાવી રહી છે માસ્ટર પ્લાન, સારી તક હશે, તો અમે કોઈ નિર્ણય લેવામાં શરમાશું નહીં: અરુણ ધૂમલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એક વર્ષમાં આઈપીએલની બે સિઝનના આયોજન માટે વિચારણા કરી રહ્યું છે. 22 માર્ચથી આઈપીએલ 2024 શરૂ થવાનું છે અને તે પહેલા, આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સૌપ્રથમ આ વિચારને આગળ ધપાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ વર્ષમાં બે વખત આઈપીએલ કરાવવા વિશે કહ્યું હતું કે, "મને લાગે છે કે આપણી પાસે બે (આઈપીએલ) સીઝન હોઈ શકે છે. મને જરા પણ આશ્ચર્ય થશે નહીં, જો દ્વિપક્ષીય ક્રિકેટમાં ઘટાડો થશે, તો તમારી પાસે વર્ષની બે સીઝન હશે."
બોર્ડ માટે વર્ષના અંતમાં આઈપીએલ માટે યોગ્ય વિન્ડો મેળવવી મહત્વપૂર્ણ છે. આ બાબત અંગે અરુણ ધૂમલ કહે છે કે વર્તમાન સમયપત્રકને ધ્યાનમાં લેવું મુશ્કેલ છે, પરંતુ તે ચોક્કસપણે તેના પર ધ્યાન આપશે. ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા, આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે કહ્યું, "આઈપીએલ મીડિયા અધિકારોના આગામી પાંચ-વર્ષ (2023-2027) માટે, અમે પહેલી બે સિઝનમાં 74 મેચો કરાવવાની યોજના બનાવી રહ્યા છીએ, જે પછી ધીમે ધીમે 84 સુધી પહોંચી જશે. આગામી બે સીઝન અને જો આપણને અનુકુળ વિન્ડો મળે તો 94 મેચનું આયોજન પણ થઇ શકે છે."
અરુણ ધૂમલે વધુમાં કહ્યું, "હાલ તો હું કોઈ ખાતરી આપી શકતો નથી. પરંતુ ભવિષ્યમાં, જો કોઈ વિન્ડો ઉપલબ્ધ થશે અને બીસીસીઆઈ અને અમારા ખેલાડીઓ માટે સારી તક હશે, તો અમે કોઈ નિર્ણય લેવામાં શરમાશું નહીં." આ દરમિયાન અરુણ ધૂમલે સ્પષ્ટ કર્યું કે આઈપીએલ 2024 પછી આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી એક મેગા ઓક્શન હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech