aajkaal@team
વૈશાખ વદ સાતમના દિવસે ભાવનગર શહેરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીના ૧૭ માં પાટોત્સવની વિધિ સંસ્થાના સદગુરુ સંત ઘનશ્યામચરણ સ્વામી, સંતો તથા હરિભક્તોની હાજરીમાં સંપન્ન થઇ. સવારે ૭ થી ૮ દરમ્યાન વેદોક્ત વિધિથી ભગવાનની પૂજા કરવામાં આવી હતી
ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ઉપસ્થિત સંતો, હરિભક્તોએ ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો. આ પ્રસંગે ઘનશ્યામચરણ સ્વામીએ પાટોત્સવનો મર્મ અને મહિમા સમજાવ્યો અને સૌ તને, મને, ધને સુખિયા થાય એવા આશીર્વાદ પાઠવ્યા.
મંદિર પાટોત્સવ ઉપક્રમે આયોજીત પ્રવચનમાળા અંતર્ગત શુક્રવારે રાત્રે ૯ થી ૧૧ સોમપ્રકાશ સ્વામી દ્વારા 'મંદિર : જ્યાં પ્રભુ પ્રગટ છે ' એ વિષયક પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. કાલે શનિવારે રાત્રે ૯ થી ૧૧ ગઢડાના કોઠારી સ્વામી અધ્યાત્મસ્વરૂપ સ્વામી લાભ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PM'સ્ત્રી 3'માં રાજકુમાર સાથે શ્રદ્ધા જ હશે
September 20, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech