બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગરના ૧૭ માં પાટોત્સવની વિધિ સંપન્ન

  • May 12, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વૈશાખ વદ સાતમના દિવસે ભાવનગર શહેરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીના ૧૭ માં પાટોત્સવની વિધિ સંસ્થાના સદગુરુ સંત ઘનશ્યામચરણ સ્વામી, સંતો તથા હરિભક્તોની હાજરીમાં સંપન્ન થઇ. સવારે ૭ થી ૮ દરમ્યાન વેદોક્ત વિધિથી ભગવાનની પૂજા કરવામાં આવી હતી 


ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ઉપસ્થિત સંતો, હરિભક્તોએ ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો. આ પ્રસંગે ઘનશ્યામચરણ સ્વામીએ પાટોત્સવનો મર્મ અને મહિમા સમજાવ્યો અને સૌ તને, મને, ધને સુખિયા થાય એવા આશીર્વાદ પાઠવ્યા.


મંદિર પાટોત્સવ ઉપક્રમે આયોજીત  પ્રવચનમાળા અંતર્ગત શુક્રવારે રાત્રે ૯ થી ૧૧  સોમપ્રકાશ સ્વામી દ્વારા 'મંદિર : જ્યાં પ્રભુ પ્રગટ છે ' એ વિષયક પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. કાલે શનિવારે રાત્રે ૯ થી ૧૧ ગઢડાના કોઠારી સ્વામી અધ્યાત્મસ્વરૂપ સ્વામી લાભ આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application