નિયમનો અમલ ૧ નવેમ્બરથી કરવાની સરકારની જાહેરાત, ઉપકરણોની આયાત કરતી કંપનીઓને રાહત
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે 3 ઓગસ્ટ (ગુરુવાર)ની સૂચના 1 નવેમ્બરથી લાગુ થશે.
સરકારે લેપટોપ અને કોમ્પ્યુટર્સ (ટેબ્લેટ કોમ્પ્યુટર સહિત) પર આયાત પ્રતિબંધના આદેશના અમલીકરણને લગભગ ત્રણ મહિના 31 ઓક્ટોબર સુધી ટાળી દીધું છે. કેન્દ્રના આ નિર્ણયથી ઈલેક્ટ્રોનિક કંપનીઓને લાઇસન્સ વિના આ ઉપકરણોની આયાત કરવા માટે વધુ સમય મળશે.
હવે આ કંપનીઓએ 1 નવેમ્બરથી આ ઉપકરણોની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે. 3 ઓગસ્ટના રોજ, સરકારે આ સાધનોની આયાતને તાત્કાલિક અસરથી લાઇસન્સ સિસ્ટમ હેઠળ મૂકી દીધી હતી, ત્યારબાદ ઉદ્યોગોએ સરકાર સમક્ષ નોટિફિકેશન પર પ્રશ્નો ઉભા કર્યા હતા.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે 3 ઓગસ્ટની સૂચના 1 નવેમ્બરથી લાગુ થશે. તેમાં ઉમેર્યું હતું કે, "પ્રતિબંધિત આયાત માટે લાયસન્સ વગરના આયાત માલને 31 ઓક્ટોબર, 2023 સુધી ક્લિયર કરી શકાશે. 1 નવેમ્બર, 2023થી આયાત માલની મંજૂરી માટે, પ્રતિબંધિત આયાત માટે માન્ય લાઇસન્સ જરૂરી છે."
આદેશમાં જણાવાયું છે કે "લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત માટે 31 ઓક્ટોબર, 2023 સુધી ઉદાર સંક્રમણકારી નીતિ અપનાવાશે ." આ પગલાથી તે કંપનીઓને રાહત મળશે જેઓ ગુરુવારના આદેશ બાદ મૂંઝવણમાં છે
સુરક્ષાના કારણોસર અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પગલાથી ચીન અને કોરિયા જેવા દેશોમાંથી આ માલની આવનારી શિપમેન્ટમાં પણ ઘટાડો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech