સસોઈ અને રણજીતસાગર ડેમ પર જવા તંત્રનો પ્રતિબંધ

  • July 25, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરને પાણી પૂરું પાડતાં રણજીતસાગર ડેમ અને સસોઈ ડેમ ઓવર ફ્લો થઈ રહ્યા હોવાથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી પડતા હોવાથી બંને સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા લોકોને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવાયો છે.


જામનગરનો રણજીતસાગર ડેમ કે ચાલુ સિઝનમાં ઓવર ફ્લો થઈ ગયો હોવાથી અને ભારે વરસાદના કારણે ડેમના પાળા પરથી ધસમસતા પાણીનો પ્રવાહ ઓવર ફ્લો થઈને જઈ રહ્યો હોવાથી લોકોને રણજિતસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે.


જામનગર મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગની ટીમ તેમજ પોલીસ પહેરો ગોઠવી દઈ લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો છે. તે જ રીતે સસોઈ ડેમ કે જ્યાં પણ આજે ડેમના પાળા ઉપર દોઢ ફૂટથી વધુ ધસમસ્તો પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાથી જાન માલની નુકસાની ન થાય તેની આગમતીના ભાગરૂપે ડેમની આસપાસ પ્રવેશ માટે લોકોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, અને કડક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રવિવારે મોટો માનવ સમૂહ આવતો  હોવાથી સલામતીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application