જામનગરને પાણી પૂરું પાડતાં રણજીતસાગર ડેમ અને સસોઈ ડેમ ઓવર ફ્લો થઈ રહ્યા હોવાથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી પડતા હોવાથી બંને સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા લોકોને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવાયો છે.
જામનગરનો રણજીતસાગર ડેમ કે ચાલુ સિઝનમાં ઓવર ફ્લો થઈ ગયો હોવાથી અને ભારે વરસાદના કારણે ડેમના પાળા પરથી ધસમસતા પાણીનો પ્રવાહ ઓવર ફ્લો થઈને જઈ રહ્યો હોવાથી લોકોને રણજિતસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે.
જામનગર મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગની ટીમ તેમજ પોલીસ પહેરો ગોઠવી દઈ લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો છે. તે જ રીતે સસોઈ ડેમ કે જ્યાં પણ આજે ડેમના પાળા ઉપર દોઢ ફૂટથી વધુ ધસમસ્તો પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાથી જાન માલની નુકસાની ન થાય તેની આગમતીના ભાગરૂપે ડેમની આસપાસ પ્રવેશ માટે લોકોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, અને કડક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રવિવારે મોટો માનવ સમૂહ આવતો હોવાથી સલામતીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech