આતંકી પ્રવૃત્તિની કમર તોડી, પાકિસ્તાનથી ઓપરેટ થતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ

  • May 01, 2023 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાઓ થયા જ કરે છે.આતંકવાદીઓને બધી માહિતી સોશિયલ મીડિયા દ્વારા અથવા પોતાના રાખેલા જાસૂસો દ્વારા માહિતીઓ મેળવી ભારતના આર્મી જવાનો પર હુમલા કરે છે.દંતેવાડા હુમલામાં ડ્રાઈવર સહીત 11 જવાન શહીદ થયા હતા,પૂંછમાં 5 જવાન શહીદ થયા હતા.આ બધી માહિતી આપ- લે કરતી એપ દ્વારા માહિતીઓ પહોચાડતા હોય છે.આથી ભારત સરકારે પાકિસ્તાનથી ઓપરેટ થતા એપ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે.  


કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ઓપરેટ થતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં Bchat પણ સામેલ છે. કેન્દ્રીય IT મંત્રાલયે આ નિર્ણય ઇન્ટેલિજન્સ બ્યુરો પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે લીધો છે.


ભારત સરકારે કહ્યું છે કે આ એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો છે, જેના પછી તેને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ પહેલા ભારતે કાર્યવાહી કરતા પાકિસ્તાનથી ચાલતા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.


જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ આ એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓનો સંપર્ક કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application