બગદાણા : ગુરુઆશ્રમનાં મોભી સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી

  • February 16, 2024 06:00 PM 


ભાવનગર જિલ્લાના બગદાણાના બગદાણા ગુરુ આશ્રમના મોભી, મેનેજિંગ ટ્રસ્ટી અને પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્ત મનજી દાદાનો દેહ વિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પૂજ્ય સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.


ગુરુઆશ્રમનાં મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. મનજીદાદાનો ગત ૧૪મી ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો. મુખ્યમંત્રીએ સ્વ. મનજીદાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં પરિવાર અને ગુરુઆશ્રમના અનુયાયીઓને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


બગદાણા આશ્રમના મોભી મનજી બાપાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોકાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે ગુરુ આશ્રમ, બગદાણાના મનજી દાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application