માવઠાની ભીતિ ટળતા રાજકોટ યાર્ડમાં તમામ જણસીની આવક ખુલી મુકાઇ

  • April 20, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે અમાસ નિમિતે શાકભાજી વિભાગમાં હરાજી સહિતની કામગીરી બંધ રાખી રજા પળાઇ




માવઠાની ભીતિ ટળતા આજથી રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકા મરચા સિવાય અનાજ, કઠોળ અને તેલીબિયાં સહિતની તમામ જણસીઓમાં રજિસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમ બંધ કરીને આવકો ખુલી મુકવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે આજે ઘઉં અને ચણામાં સૌથી વધુ આવક નોંધાઇ હતી.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે અમાસ નિમિતે શાકભાજી વિભાગમાં પરંપરાગત રીતે આવક બંધ રાખવામાં આવી હોય આજે શાકભાજીની હરરાજી સહિતના કામકાજ બંધ રહ્યા હતા. આવતીકાલથી રાબેતા મુજબ આવકો અને હરરાજી શરૂ થઇ જશે. હાલ ઉનાળામાં સ્થાનિક અને પરદેશી બન્ને આવક શરૂ થતાં ભાવ વધવા લાગ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application