પરિણીતાને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી : પતિની હત્યાની કોશિષ : સાસુ, સસરાને માર માર્યો : ચુનાના ભઠ્ઠા પાસે રહેતા એક પરિવારના સાત સામે પોલીસ ફરીયાદ
જામનગરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં એક પરિણીતાને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી, ઢીકાપાટુનો માર માર્યો હતો, આ વેળાએ વચ્ચે છોડાવવા આવેલા તેણીના પતિ પર પાઇપથી હુમલો કરી હત્યાની કોશિષ કરવામાં આવી હતી, વચ્ચે પડેલા તેણીના સાસુ, સસરાને પણ માર મારવામાં આવ્યો હતો આ બનાવ અંગે ચુનાના ભઠ્ઠા, ઢોલીયાપીરની દરગાહ પાસે રહેતા સુમરા પરિવારની મહિલાઓ સહિતના સાત સામે ફરીયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, ઇજાગ્રસ્તોેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
જામનગરમાં ચુનાનો ભઠ્ઠો વિસ્તારમાં રહેતી નર્મદાબેન અહેમદરઝા નાઇ (ઉ.વ.30) નામની પરણીતાએ ગઇ મોડી રાત્રીના સીટી-એ ડીવીઝનમાં ચુનાનો ભઠ્ઠો, ઢોલીયાપીરની દરગાહ, ડેલીની બાજુમાં રહેતા અશરફ જુમા ખફી, જાવીદ જુમા ખફી, આરીફ જુમા ખફી, આયશા જુમા ખફી, વલીભાઇનો પોત્રો, શરીફાબેન જાવીદ ખફી, સીરીનબેન ખફીની વિરુઘ્ધ આઇપીસી કલમ 134, 147, 148, 149, 323, 324, 307, 504, 506(2), 114 તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી બેનએ મુસ્લીમ જ્ઞાતીના અહેમદરઝા મહમદહુશેન નાઇ સાથે લગ્ન કરેલ હોય અને ફરીયાદીને અવાર નવાર પોતાની જ્ઞાતી વિશે અપમાનજનક શબ્દો બોલતા હોય, દરમ્યાન ગઇકાલે સાંજના 6 વાગ્યે ફરીયાદીનો 10 વર્ષનો પુત્ર ઘર પાસે રમતો હતો ત્યારે આરોપી આયશાબેનએ કહેલ કે તું હિન્દુ છોકરો છો, અહીં રમતો નહીં તેમ કહી ફરીયાદીને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી અને અન્ય આરોપીઓ આવી ગયા હતા, તેમજ અન્ય આરોપીને બોલાવ્યા હતા અને ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં ફરીયાદીના ઘરે જઇ તેણીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી હતી.
આરોપી મહિલાઓએ ફરીયાદીને વાળ પકડી પછાડી દઇ, ઢીકાપાટુનો માર માર્યો હતો, આ વેળાએ તેણીના પતિ અહેમદરઝા, સાસુ નુરજહાબેન અને સસરા મહદમદહુશેનભાઇ વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ પાઇપ વડે હુમલો કરી, ફરીયાદીના પતિને મારી નાખાવના ઇરાદે માથામાં ઘા મારી ખોપરી ફાડી નાખી હતી તેમજ પગ, પેટના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા અને એક મહિલરા આરોપીએ ઇંટનો ઘા નુરજહાબેનના માથામાં માર્યો હતો.
ઉપરાંત લાદીના ટુકડાના છુટા ઘા કરી મહમદહુશેનભાઇને હાથમા ઇજા કરી હતી તેમજ અન્ય એક આરોપીએ ફરીયાદીના પતિને પેટના ભાગે લાતો મારી આમ ઉપરોકત આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હથીયારો ધારણ કરી ફરીયાદીના પતિને મારી નાખવાની કોશિષ કરી સાહેદોને ઇજા કરી એકબીજાને મદગગારી કરી હતી.
ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી, નર્મદાબેનની ફરીયાદના આધારે પોલીસે હત્યાની કોશિષ, એટ્રોસીટી સહિતની કલમો મુજબ ગુનો નોંધીને આગળની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ હુમલોનો બનાવ સામે આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech