ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ તા.૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે

  • August 02, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ દ્વારા તા.૯ થી ૧૧મી ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. 
​​​​​​​

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિનો આ અભ્યાસ પ્રવાસ તા.૯મી ઓગસ્ટના રોજ બુધવારે સવારે ૭ કલાકે સદસ્ય નિવાસ, ગાંધીનગરથી શરૂ થશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાંગોદર / મોરૈયા, લીમડી સિક્સ લેન તેમજ કુવાડવા ફ્લાય ઓવરબ્રિજ સહિતના પૂર્ણ તથા પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ, જામનગર તાલુકાના રસ્તાઓનું નિરીક્ષણ, જામનગરથી જામખંભાળિયા તાલુકાના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવશે તેમ ગુજરાત વિધાનસભા સચિવાલયના નાયબ સચિવની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application