જમીન સંબંધે ભાગ મળવા અંગેના દાવામાં વચગાળાના મનાઇ હુકમની માંગણી નામંજૂર

  • July 13, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાનાં જામનગર તાલકુાના મોજે કનસુમરા ગામે આવેલ જુના રે.સ.નં. ૨૫,૨૦૫,૪૩૮ તથા ૪૭૨ વાળી જમીન સંબંધે હવાબાઇ ઇશાક ખીરા, રોશનબેન ઇશાક ખીરાએ ગુજ. ઇશાક આલી ખીરાના વારસદાર તરીકે હિસ્સો જુદો પડાવી આપવા તથા કબજો અપાવવા અંગે કાસમભાઇ સુલતાનભાઇ ખીરા વગેરેનાઓ સામેદાવો જામનગુરલની ક્ષદીવાની અદાલતમાં દાખલ કરેલ અને દાવા સાથે આંક પ થી દાવાવાળી ખેતીની જમીનો દાવાનો આખરી નિકાલ થાય ત્યાં સુધી કોઇને વેંચાણ કરે નહીંકે કબજો કોઇને ટ્રાન્સફર કરે નહીં કે બોજો ઉભો કરે નહીંતેવોદાવો ચાલતા સુધીનો વચગાળાના મનાઇ હુકમની માંગણી કરેલ, ઉપરોકત દાવાનો પ્રતિવાદી કાસમભાઇ સુલતાનભાઇ ખીરાવિગેરેનાઓને સમન્સ બજતા વકીલ મારફત લેખિત જવાબ રજુ કરેલ.


 ત્યારબાદ વચગાળાના મનાઇ હુકમની અરજી જામનગરના મે. છઠ્ઠા એડી. સીનીયર સીવીલ જજ એસ.એમ. કામદાર સાહેબની અદાલતમાં ચાલી જતાં પ્રતિવાદી કાસમભાઇ સુલતાનભાઇ ખીરા વિગેરેના વકીલએ રજુ કરેલ લેખિત જવાબ તથા મૌખિક વિસ્તૃત દલીલો કરેલજેમાંમુખ્યત્વે રજુઆત કરેલકે,વાદી હવાબાઇ ઇશાક ખીરા વિગેરેનાઓ દ્વારા નોંધ નં. ૫૩૬ તા.૧૫-૪-૧૯૭૬ ના રોજ પાડવામાં આવેલછુ.

​​​​​​​ત્યારબાદ વાદીઓ દ્વારા આ નો:ધ તેતાલીસ વર્ષ બાદ પડકારવામાં આવેલછે વાદીઓ દ્વારા સૌ પ્રથમ કાર્યવાહી પ્રાંત અધિકારી સમક્ષ તથા ત્યારબાદ કલેકટર સમક્ષ પડકારવામાં આવેલ હતી તે તમામ કાર્યવાહીમાં વાદીઓની તરફેણમાં કોઇ હુકમ કરવામાં આવેલ નથી ઉપરોકત રેવન્યુ ઓથોરીટી સમક્ષ કરેલ તમામ કાર્યવાહીઓની હકીકતો દાવા અરજીમાંછુપાવેલછે વિગેરે તમામ વિસ્તૃત દલીલો ઘ્યાને લઇ વાદી હવાબાઇ ઇશાક ખીરાવિગેરેનાઓની વચગાળાના મનાઇ હુકમની માંગણી નામંજુર કરેલ.
આ કેસમાં પ્રતિવાદીઓ કાસમભાઇ સુલતાનભાઇ ખીરા તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application