જામનગર જિલ્લાનાં જામનગર તાલકુાના મોજે કનસુમરા ગામે આવેલ જુના રે.સ.નં. ૨૫,૨૦૫,૪૩૮ તથા ૪૭૨ વાળી જમીન સંબંધે હવાબાઇ ઇશાક ખીરા, રોશનબેન ઇશાક ખીરાએ ગુજ. ઇશાક આલી ખીરાના વારસદાર તરીકે હિસ્સો જુદો પડાવી આપવા તથા કબજો અપાવવા અંગે કાસમભાઇ સુલતાનભાઇ ખીરા વગેરેનાઓ સામેદાવો જામનગુરલની ક્ષદીવાની અદાલતમાં દાખલ કરેલ અને દાવા સાથે આંક પ થી દાવાવાળી ખેતીની જમીનો દાવાનો આખરી નિકાલ થાય ત્યાં સુધી કોઇને વેંચાણ કરે નહીંકે કબજો કોઇને ટ્રાન્સફર કરે નહીં કે બોજો ઉભો કરે નહીંતેવોદાવો ચાલતા સુધીનો વચગાળાના મનાઇ હુકમની માંગણી કરેલ, ઉપરોકત દાવાનો પ્રતિવાદી કાસમભાઇ સુલતાનભાઇ ખીરાવિગેરેનાઓને સમન્સ બજતા વકીલ મારફત લેખિત જવાબ રજુ કરેલ.
ત્યારબાદ વચગાળાના મનાઇ હુકમની અરજી જામનગરના મે. છઠ્ઠા એડી. સીનીયર સીવીલ જજ એસ.એમ. કામદાર સાહેબની અદાલતમાં ચાલી જતાં પ્રતિવાદી કાસમભાઇ સુલતાનભાઇ ખીરા વિગેરેના વકીલએ રજુ કરેલ લેખિત જવાબ તથા મૌખિક વિસ્તૃત દલીલો કરેલજેમાંમુખ્યત્વે રજુઆત કરેલકે,વાદી હવાબાઇ ઇશાક ખીરા વિગેરેનાઓ દ્વારા નોંધ નં. ૫૩૬ તા.૧૫-૪-૧૯૭૬ ના રોજ પાડવામાં આવેલછુ.
ત્યારબાદ વાદીઓ દ્વારા આ નો:ધ તેતાલીસ વર્ષ બાદ પડકારવામાં આવેલછે વાદીઓ દ્વારા સૌ પ્રથમ કાર્યવાહી પ્રાંત અધિકારી સમક્ષ તથા ત્યારબાદ કલેકટર સમક્ષ પડકારવામાં આવેલ હતી તે તમામ કાર્યવાહીમાં વાદીઓની તરફેણમાં કોઇ હુકમ કરવામાં આવેલ નથી ઉપરોકત રેવન્યુ ઓથોરીટી સમક્ષ કરેલ તમામ કાર્યવાહીઓની હકીકતો દાવા અરજીમાંછુપાવેલછે વિગેરે તમામ વિસ્તૃત દલીલો ઘ્યાને લઇ વાદી હવાબાઇ ઇશાક ખીરાવિગેરેનાઓની વચગાળાના મનાઇ હુકમની માંગણી નામંજુર કરેલ.
આ કેસમાં પ્રતિવાદીઓ કાસમભાઇ સુલતાનભાઇ ખીરા તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech