જુમ્માની નમાઝ બાદ ભૂકંપગ્રસ્ત તુર્કી-સિરીયા માટે દુઆ કરવા અપીલ

  • February 09, 2023 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત તારીખ ૬/૨/૨૦૨૩ ના રોજ તુર્કી  ભુકંપથી હચમચી ગયું અને હાલ ભયજનક પરિસ્થિતિ માથી પસાર થઈ રહ્યો છે જે તબાહીમાં હજારો લોકો પોતાનુ જીવ ગુમાવી ચુકયા છે અને હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે કાઝી એ ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવાલા અને જામનગર ની શાહી જામા મસ્જિદ ના ઇમામ કાઝી એ શહેર મૌલાના સુલેમાન બરકાતી દ્રારા શહેર ની તમામ મસ્જિદ ના ઇમામ સાહેબ અને નમાઝી ભાઈઓ ને જુમ્મા ની નમાઝ પછી વિશેષરૂપે તુર્કી/સિરિયા માટે દુઆ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.





ઉલ્લેખનીય છે કે ભારત દેશના વડાપ્રધાન દ્ગારા મદદ માટે વાયુ સેના, રાહત બચાવ દલ અને એનડીઆરએફની ટીમ ભુકંપ રાહત સામગ્રી નો જથ્થો સાથે લઇ તુર્કી માટે રવાના કરી દીધી હતી તમામ ટીમ ત્યા પહોંચી જતા બચાવ કામગીરીમાં વ્યસ્ત થઈ ગઇ હતી અત્રે તુર્કી ના રાજદૂત ફિરાત સુનેલ એ ટવીટર ના માધ્યમ થી ભારત સરકાર નુ ધન્યવાદ માન્યું હતું તેમ સફવાન ઝેડ લુસવાલા દ્રારા અખબારી યાદી મા જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application