જામનગરના ચકચારી દૂષ્કર્મ કેસમાં લંપટ આચાર્ય દ્વારા આગોતરા અરજી

  • April 18, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની વિદ્યાર્થિની પર દૂષ્કર્મ આચરવાના ચકચારી પ્રકરણમાં લંપટ આચાર્ય પોલીસ પકડથી દૂર છે, બીજી બાજુ આચાર્ય દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે જેની સુનાવણી આવતીકાલે બુધવારે થનાર છે.


જામનગરની સત્યસાઈ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અને હાલ લાખાબાવળની કૉલેજમાં ફરજ બજાવતા મનિષ બુચ સામે તાજેતરમાં દૂષ્કર્મની ફરિયાદ સિટી ‘બી’માં નોંધાવવામાં આવી હતી. ફરિયાદ દાખલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી અને આરોપી લંપટ આચાર્ય ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.


પોલીસ દ્વારા તેને ઝડપી લેવા જુદા-જુદા વિસ્તારોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે, બીજી બાજુ લંપટ આચાર્યએ પોતાના વકીલ મારફત કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. બીજી તરફ પોલીસે તપાસ સહિતના કારણોસર મુદ્દત રિપોર્ટ આપ્યો હતો આથી જામીન અરજીની સુનાવણી આવતીકાલ બુધવારે થશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application