ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી સેક્ટર પર મની લોન્ડરિંગની જોગવાઈઓ લાગુ કરી છે. ડિજિટલ સ્કેમનું મોનિટરિંગ કડક બનાવવા માટે સરકારનું આ નવીનતમ પગલું છે.
નાણા મંત્રાલયે મંગળવારે એક નોટિસમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટો ટ્રેડિંગ, સેફકીપિંગ અને સંબંધિત નાણાકીય સેવાઓ પર એન્ટી મની લોન્ડરિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. કાયદાકીય પેઢી ત્રિલીગલના કાઉન્સેલ જયદીપ રેડ્ડીએ જણાવ્યું હતું કે, "ભારત સરકારનું પગલું એ વૈશ્વિક વલણ સાથે સુસંગત છે કે ડિજિટલ-એસેટ પ્લેટફોર્મને બેંકો અથવા સ્ટોક જેવી અન્ય નિયમનકારી સંસ્થાઓની જેમ સમાન મની લોન્ડરિંગ વિરોધી ધોરણોનું પાલન કરવું જરૂરી છે.
ગયા વર્ષે, ભારતે ક્રિપ્ટો સેક્ટર પર વધુ કડક ટેક્સ નિયમો લાદ્યા હતા, જેમાં ટ્રેડિંગ પર વસૂલાતનો સમાવેશ થાય છે. તેમજ ડિજિટલ સ્કેમમાં વૈશ્વિક ઘટાડાથી સ્થાનિક ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થયો છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે, નવી મની લોન્ડરિંગ વિરોધી જોગવાઈઓને "જરૂરી અનુપાલન પગલાં અમલમાં મૂકવા માટે સમય અને સંસાધનોની જરૂર પડે તેવી શક્યતા છે." નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે ક્રિપ્ટોકરન્સી વ્યવહારો હવે મની લોન્ડરિંગ જોગવાઈઓના દાયરામાં આવશે. એક નોટિફિકેશનમાં સરકારે જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો સાથે સંકળાયેલા વ્યવહારો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ થશે.
ગેઝેટમાં, મંત્રાલયે રોકાણકારોને "ઇશ્યુઅર દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની ઓફર અને વેચાણ સંબંધિત નાણાકીય સેવાઓમાં ભાગીદારી અને જોગવાઈ" સામે ચેતવણી આપી હતી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનું એક્સચેન્જ અને ટ્રાન્સફર પણ PMLA કાયદા હેઠળ આવશે. આવકવેરા અધિનિયમ મુજબ, 'વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ' એ કોઈપણ માહિતી, કોડ, નંબર અથવા ટોકનનો સંદર્ભ આપે છે, જે ક્રિપ્ટોગ્રાફિક માધ્યમ દ્વારા અથવા અન્યથા બનાવવામાં આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓક્ટોબર 2022માં કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી પર અમુક પ્રકારના નિયમનની જરૂર છે અને તમામ દેશોએ આ અંગે એકસાથે રહેવું પડશે. ત્યારબાદ તેમણે ઉમેર્યું, "કોઈ એકલું આને હેન્ડલ કરી શકશે નહીં. ભારતમાં G20 પ્રેસિડેન્સી દરમિયાન આ એજન્ડાનો એક ભાગ હશે. અમે જોખમોનો સામનો કરવા માટે ક્રિપ્ટોકરન્સીના વૈશ્વિક નિયમન માટે મજબૂત કેસ બનાવી રહ્યા છીએ. આમાં મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગનો પણ સમાવેશ થાય છે. G20 નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોની તાજેતરની બેઠકમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ક્રિપ્ટો એસેટ સાથે વ્યવહાર કરવા માટે આંતરરાષ્ટ્રીય માળખું અને આર્કિટેક્ચર બનાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB) પણ આવા માળખા પર કામ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech