રાષ્ટ્રિય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ રૂહીનું ચેકઅપ કરીને તેણીને સુરતની હોસ્પિટલમાં રીફર કરાવવામાં આવી.
ગુજરાત સરકાર દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તેને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્રોની રચના કરવામાં આવી છે. 'સંકલિત બાળ વિકાસ સેવા કાર્યક્રમ' ના ભાગરૂપે વર્ષ 1975 માં ભારત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા શરુ કરવા સામે એક લક્ષ્યાંક રહેલો છે, તે છે બાળકોમાં જોવા મળતા કુપોષણ સામે લડવું.. જામનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના લતીપર સેજાના ખારવા ગામમાં 4 વર્ષીય બાળકી રુહી પરમાર રહે છે. પ્રિ સ્કૂલ એજ્યુકેશન ઈન્સ્ટ્રકટર કિરણબા જાડેજા અને આંગણવાડી કાર્યકર ભાવનાબેન દ્વારા બાળકીના ઘરે તેમના વાલીની મુલાકાત લેવામાં આવી હતી. રુહીના વાલીને આંગણવાડી કેન્દ્રમાં ચાલતા બાળ વિકાસલક્ષી શિક્ષણ વિષે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી, અને તેમને રૂહીને નિયમિતપણે અભ્યાસ અર્થે મોકલવા માટે સમજાવ્યા હતા.
રુહીને 'મમતા દિવસ'ના રોજ આંગણવાડી કેન્દ્ર માણેકપર કોડ નં. 20 માં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. રાષ્ટ્રિય બાળ સુરક્ષા કાર્યક્રમની ડોક્ટર્સની મેડિકલ ટીમ દ્વારા તેણીનું ચેકઅપ કરીને રીફર કરાવવામાં આવી હતી. અને સુરતની મહાવીર હોસ્પિટલમાં 'માં અમૃતમ કાર્ડ યોજના' હેઠળ હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ તેણી સંપૂર્ણ સ્વસ્થ થઇ છે.
હવે રુહીના માતા પિતા તેણીને દરરોજ આંગણવાડી પર અભ્યાસ માટે મોકલે છે. તેણી આંગણવાડીના અન્ય બાળકો સાથે નવી- નવી પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લે છે. આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને આંગણવાડી વિભાગના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી રૂહીના જીવનમાં નવો દોરીસંચાર જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech