સંત કબીર રોડ પર ઇમિટેશનના ધંધાર્થીને ધોકા વડે માર મારી પગ ભાંગી નાખ્યો

  • December 11, 2023 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં બોટલોના ઘા કયર્નિી શંકા રાખી ઇમિટેશનના ધંધાર્થી યુવાન પર પિતા-પુત્ર સહિત ત્રણ શખસોએ ધોકા વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં યુવાનનો પગ ભાંગી ગયો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના પેડક રોડ પર રત્નદીપ સોસાયટી શેરી નંબર 6 માં રહેતા ઇમિટેશનના ધંધાર્થી કૌશલ અશોકભાઈ અગ્રાવત(ઉ.વ 32) નામના યુવાને થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંદિપ પ્રવીણભાઈ તેના પિતા પ્રવીણ અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના સાત વાગ્યે તે સંત કબીર રોડ પાસે આવેલી શક્તિ સોસાયટી શેરી નંબર પાંચમાં સંજયભાઈ સોલંકીનું મકાન ઇમિટેશનના ધંધા માટે ભાડે રાખ્યું હોય ત્યાં ગયો હતો. જ્યાં કલરકામ ચાલે છે યુવાન અહીં બાજુની શેરીમાં રહેતા સંદીપ સાથે ઉભો હતો ત્યારે તેમના મકાનની પાછળ ખાલી કાચની બોટલો ના ઘા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ગયેલ હોય જેથી સંદીપે કહ્યું હતું કે, બોટલના ઘા અહીં કરવા નહીં જેથી યુવાન કહ્યું હતું કે, હું આ કાંઈ જાણતો નથી.આ સાંભળી સંદીપે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઝઘડો કર્યો હતો. દરમિયાન તેના પિતા ઘરેથી લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને ધોકા વડે યુવાન પર હુમલો કરી દીધો હતો.આ સમયે બાજુમાં રહેતો એક અજાણ્યો શખસ પણ ધોકો લઈને આવ્યો હતો ધોકાનો ઘા યુવાનના માથાનાભાગે મારી દીધો હતો.

હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસીની કલમ 325,323, 506(2),504,114 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application