જામજોધપુરના ચિટિંગના ગુનામાં સાત વર્ષથી ભિક્ષુક તરીકે વેશપલટો કરીને ફરતો આરોપી ઝડપાયો

  • May 27, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના સાત વર્ષ પહેલાના ચિટિંગના એક ગુનામાં ભિક્ષુક તરીકેનો વેશ પલ્ટો કરીને નાસતા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
​​​​​​​
જામજોધપુરની પોલીસ ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જે દરમિયાન જોધપુર પોલીસ સ્ટેશનના છેતરપિંડી અંગેના સાત વર્ષ પહેલાના કેસમાં નાસતો ફરતો આરોપી સંદીપ મુકેશભાઈ દેલવાડિયા કે જેને પકડવા માટે જામજોધપુરની અદાલત દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
ઉપરોકત આરોપી હાલમાં સુરતના કામરેજ વિસ્તારમાં સંતાયો હોવાની અને તેણે વેશ પલ્ટો કરી લીધો હોવાનું જામજોધપુર પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. જે પોલીસની પકડથી બચવા માટે છેલ્લા સાત વર્ષથી ભિક્ષુકનો વેશ ધારણ કરીને સુરતમાં રહેતો હતો, આથી પોલીસ ટુકડીએ સુરતમાંથી સંદીપ દેલવાડિયાને પકડી લીધો છે, અને તેને જામજોધપુર લઈ આવ્યા પછી તેની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application