પવિત્ર શ્રાવણ માસમાં યાત્રિયોની સુવિધા માટે અમરેલી-વેરાવળ અને વેરાવળ-અમરેલી મીટરગેજ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

  • July 18, 2023 12:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ટ્રેનોમાં થતા ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી મીટર ગેજ સ્પેશિયલના સમયમાં ફેરફાર કર્યો છે.

ભાવનગર રેલ્વે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, અમરેલી - વેરાવળ મીટરગેજ સ્પેશિયલ અમરેલીથી 18.07.2023 થી 15.09.2023 સુધી સવારે 08.50 કલાકના બદલે સવારે 05.40 કલાકે ઉપડશે અને વેરાવળ સ્ટેશને 13.50 કલાકને બદલે 10.30 કલાકે પહોંચશે.તેવી જ રીતે, વેરાવળ - અમરેલી મીટર ગેજ સ્પેશિયલ 18.07.2023 થી 15.09.2023 દરમિયાન વેરાવળ સ્ટેશનથી 13.00 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે અને 18.05 કલાકને બદલે 19.10 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application