અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન અપાયું

  • September 20, 2023 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં ખેડૂતોના પ્રશ્ર્ને લડત આપતી સંસ્થા ખેડૂત સમાજ ગુજરાતની મુખ્ય ઓફિસ સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર ખાતે આવેલ હતી. પોલીસ વિભાગનો સાથ લઇ ખેડૂત આગેવાનોને બળજબરીથી ડિટેઇન કરાવી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી તે સમય દરમિયાન રાજકીય ઇશારે તે મંડળીના સંચાલકો દ્વારા જેસીબીની મદદથી આ કાર્યાલય તોડી પાડવામાં આવી સાથે તેમાં રહેલ સંસ્થાના સામાન અને સાહિત્યનો નાશ કરવામાં આવેલ છે. ત્યારે ખેડૂત હિતમાં કામ કરતી આ સંસ્થાને નુકસાન કરી તેનું ભાડા પરનું કાર્યાલય તોડી પાડવામાં સામેલ તમામ લોકો અને પોલીસકર્મીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી સાથે વડિયા મામલતદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો, કાર્યકરોએ આવેદન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application