જમ્મુ-કાશ્મીરમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલા થયા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલો કર્યો હતો. જેમાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાનનું મોત થયું હતું. ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, RAW ચીફ અને આર્મી ચીફ મનોજ પાંડે પણ હાજર રહ્યા હતા. રવિવારે શાહે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિની પણ માહિતી લીધી હતી. ગૃહમંત્રીએ 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવવાના નિર્દેશો આપ્યા હતા.
પીએમ મોદીના શપથ ગ્રહણના દિવસે આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ ચાર આતંકી હુમલા થયા છે. આતંકવાદી ઘટનાઓને અંકુશમાં લેવા માટે, અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોની તૈનાતી, ઘૂસણખોરી વિરોધી કવાયત, આતંકવાદ વિરોધી કામગીરીની સ્થિતિ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય આતંકવાદીઓ વિશે માહિતી લીધી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, આગામી આર્મી ચીફ તરીકે નામાંકિત લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકાએ અમિત શાહ દ્વારા બોલાવેલી બેઠકમાં હાજરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહ, જમ્મુ અને કાશ્મીર પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વેન અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.
શાહે વડા પ્રધાનની સૂચનાઓ અનુસાર સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવા અંગે વ્યાપક માર્ગદર્શિકા આપી છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફા મંદિરની વાર્ષિક તીર્થયાત્રા પહેલા બની હતી. આ યાત્રા 29 જૂનથી શરૂ થવાની છે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે. તીર્થયાત્રીઓ જમ્મુ અને કાશ્મીરમાં બે માર્ગો દ્વારા અમરનાથની યાત્રા કરે છે - બાલતાલ અને પહેલગામ.
સૂત્રોએ જણાવ્યું કે ગયા વર્ષે 4.28 લાખથી વધુ લોકોએ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી અને આ વખતે આ આંકડો પાંચ લાખ સુધી પહોંચી શકે છે. તમામ તીર્થયાત્રીઓને RFID કાર્ડ આપવામાં આવે તેવી શક્યતા છે જેથી તેમનું વાસ્તવિક સ્થાન જાણી શકાય અને તમામને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. યાત્રાળુઓ દ્વારા લઈ જવામાં આવતા પ્રત્યેક પ્રાણી માટે રૂ. 50,000નું વીમા કવચ પણ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech