અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વે પરનો સ્ટે આવતીકાલ સુધી લંબાવ્યો છે. હવે આવતીકાલે એટલે કે 27 જુલાઈએ બપોરે 3.30 વાગ્યે બીજી સુનાવણી થશે. ASIના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર આલોક ત્રિપાઠી કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે સર્વેથી જ્ઞાનવાપી કેમ્પસને કોઈ નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં સર્વેનું 5 ટકા કામ થઈ ગયું છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે તેમને ASIનું સોગંદનામું વાંચવા અને તેમની દલીલો રજૂ કરવા માટે થોડો વધુ સમય આપવામાં આવે. જેને જોતા કોર્ટે જ્ઞાનવાપી કેમ્પસના સર્વે પર હાલ પૂરતો સ્ટે મુક્યો છે.
આ પહેલા કોર્ટે બુધવારે સાડા ચાર કલાક સુધી સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ કોર્ટે વારાણસીથી ASI સર્વે ટીમને બોલાવવાનો નિર્દેશ આપ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ફરીથી ASI સર્વે ટીમને બુધવારે સાંજે 4:30 વાગ્યે નિષ્ણાત તરીકે હાજર થવા જણાવ્યું હતું. ASIની ટીમ સાંજે 4.30 વાગ્યે કોર્ટમાં હાજર થઈ હતી. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે સર્વેથી મસ્જિદના માળખાને નુકસાન થશે.
અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિએ 21 જુલાઈના રોજ વારાણસીની જિલ્લા અદાલતના આદેશને પડકારતી મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જિલ્લા અદાલતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને મસ્જિદ સંકુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદ કમિટીના વકીલ, એસએફએ નકવીએ મુખ્ય ન્યાયાધીશ પ્રિતિંકર દિવાકરની કોર્ટને આ મામલાની વહેલી સુનાવણી માટે વિનંતી કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો 24 જુલાઈનો આદેશ બુધવારે (26 જુલાઈ) સાંજે 5 વાગ્યા સુધી જ અમલી છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવા માટે થોડો સમય આપ્યો હતો. નકવીની વિનંતી પર ચીફ જસ્ટિસે કહ્યું કે જો બંને પક્ષોને કોઈ વાંધો ન હોય તો તેઓ પોતે આ મામલાની સુનાવણી કરી શકે છે. આના પર બંને પક્ષોના વકીલો સંમત થયા અને કોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી.
અરજદારના વકીલે કોર્ટને વિવિધ આધારો પર 21 જુલાઈના આદેશને બાજુ પર રાખવા વિનંતી કરી હતી. તેઓએ દલીલ કરી હતી કે જિલ્લા અદાલતે ઉતાવળમાં એએસઆઈને સર્વે કરવા અને 4 ઓગસ્ટ સુધીમાં તેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટે અરજદારને આ આદેશને પડકારવા માટે પૂરતો સમય આપ્યો ન હતો. આ મામલામાં વાદીએ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે કાશી વિશ્વનાથ મંદિરના પુનઃસ્થાપનની માંગણી કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે સમગ્ર મસ્જિદ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ એ સ્થાપિત કરવામાં મદદ કરશે કે મસ્જિદ સ્થળ પર મંદિર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech