H1N1 અને H3N2ની સારવાર માટે રાજ્યમાં તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

  • March 17, 2023 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2ની પરિસ્થિતી વિશે જણાવતા કહ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધરાયું છે. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અન H1N1 પોઝીટીવ આવે ત્યારે તે દર્દીન H1N1  પોઝીટીવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે. 
 

તેમણે ગૃહમાં વધુમાં જણાવ્યું છે કે,રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં જ્યમાં H1N1 ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા તેમણે અનુરોધ કર્યો છે.

સીઝનલ ફ્લુના લક્ષણો જણાતા શું કરવું ?

કેટેગરી- એ

શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો

કેટગરી – એ ના લક્ષણો દેખાય તો ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી. આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો, સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી- બી ૧

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- બી ૨

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ
 

ઉંમર ૬૫ વર્ષથી વધુ, ગર્ભાવસ્થા, ૫ વર્ષથી નાની વયના બાળકો, શ્વસનતંત્રની બીમારી, લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી, ડાયાબિટીસ ના દર્દી, એચઆઇવી/એઇડ્સના લોકોએ ખાસ ધ્યાન રાખવું.

કેટેગરી-સી
​​​​​​​

કેટેગરી- એ અને બી  ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર

આ લક્ષણો જનતા જ હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી, સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી ઉપરાંત ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application