મ્યાનમારમાં પોતાના જ નાગરિકો ઉપર હવાઈ હુમલો: ૧૦૦નાં મોત

  • April 12, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મ્યાનમારનાં લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.



મ્યાનમારની સેનાના હવાઈ હુમલામાં અનેક બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, માર્યા ગયેલા લોકો સૈન્ય શાસન વિરુદ્ધ આયોજિત એક વિરોધ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ બનાવને લઈને, યુએન માનવાધિકાર વડાએ મ્યાનમારમાં ઘાતક હવાઈ હુમલાની નિંદા કરી છે. વોલ્કર તુર્કે કહ્યું કે, નાગરિકો પર હવાઈ હુમલાના અહેવાલ ખૂબ જ પરેશાન કરનાર છે. તેમણે કહ્યું કે જે કાર્યક્રમમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં સ્કૂલના બાળકો પણ હાજર હતા.




હકીકતમાં, ફેબ્રુઆરી 2021 માં, મ્યાનમારની સેનાએ દેશમાં બળવો કર્યો હતો. આ પછી મ્યાનમારની સેનાએ સત્તા કબજે કરી લીધી હતી. ત્યારથી મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સૈન્ય શાસન સામે યોજાઈ રહેલા વિવિધ વિરોધ પ્રદર્શન સામે મ્યાનમારની સેના દ્વારા લોકો પર કાર્યવાહી કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા બે વર્ષમાં ત્રણ હજારથી વધુ નાગરિકોના મોત સૈન્ય દ્વારા થયા છે.




મળતી માહિતી મુજબ, આ હવાઈ હુમલામાં રાષ્ટ્રીય એકતા સરકાર (NUG)ની ઓફિસ ધ્વસ્ત થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે હુમલા દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સ્થળ પર હાજર હતા, જેમાંથી 100 થી વધુ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં સશસ્ત્ર જૂથોના નેતાઓ અને લશ્કરી શાસનનો વિરોધ કરતા અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application