અમદાવાદ : કૃષ્ણનગર ડેપો માંથી થઇ એસટી બસની ચોરી

  • February 16, 2024 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માનસિક વિકલાંગ બસ હંકારી દહેગામ પહોચ્યો ; પોલીસ અને એસટી તંત્ર થયું દોડતું  


આપણે અવારનવાર બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કે એસટી બસ માંથી પર્સ અથવા કિંમતી માલસામનની ચોરી અને ગઠીયાઓ દ્વારા  ખિસ્સા કપાયા હોવાના સમાચાર સંભાળતા રહીએ છીએ છે, પરંતુ અમદાવાદના એક ડેપોમાંથી આખેઆખી એસટી બસની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.

પ્રાથમિક વિગતો મુજબ નરોડા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ધોળા દિવસે એસટી બસની ચોરી થઈ જતાં એસટી વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ મામલે નરોડા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોરાયેલી એસટી બસ બે કલાકની ભારે શોધખોળના અંતે દહેગામથી મળી આવી હતી. 


જે બાદ અધિકારીઓનો કાફલો તાત્કાલિક દહેગામ દોડી પહોચ્યો હતો. જ્યાં તેમણે ચોરી થયેલી બસની પુષ્ટિ કરી અને બસમાં બેઠેલા એકમાત્ર વ્યક્તિની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં બસની ચોરી કરનાર યુવક માનસિક અસ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે યુવકની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષા સામે સવાલ જરૂર ઉભા કરી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application