જામનગરમાં આઘેડનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • April 19, 2023 02:22 PM 

જામનગરમાં શાક માર્કેટ નજીક મોચીસાર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા એક આધેડે ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક મોચીસારમાં રામ મંદિર પાસે રહેતા અને શાક માર્કેટ વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતા જગદીશભાઈ રતિલાલ સરવૈયા નામના ૫૭ વર્ષના આધેડે ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર પંખાના હુકમા ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.


આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


મૃતક આધેડ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતા હતા, અને એકલવાયા જીવનના કારણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application