ભાણવડ પંથકમાં પત્નીના આપઘાત બાદ પતિએ પણ જિંદગી ટૂંકાવી

  • March 30, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ પંથકમાં એક કરૂણ બનાવ સામે આવ્યો છે, જેમાં પત્નીના આપઘાત બાદ પતિએ પણ જિંદગી ટૂંકાવી લેતા ગામમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


ભાણવડ તાલુકાના શીવાગામ ખાતે રહેતા વલ્લભભાઈ રામાભાઈ ગેડા નામના ૪૫ વર્ષના અનુસૂચિત જાતિના યુવાને ગત તારીખ ૨૭મી ના રોજ વાડીએ જઈ અને ટીસી ઉપર ચડી, ઈલેક્ટ્રીક તાર પકડી લેતા તેમને જોરદાર વિજ કરંટ લાગતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના સંબંધી કારાભાઈ માલદેભાઈ ગેડા (ઉ.વ. ૪૨) એ ભાણવડ પોલીસને કરી છે.


મૃતક વલ્લભભાઈના પત્ની દવા લેવાના બહાને તેમના માવતરે ગયા હોય, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા વલ્લભભાઈના પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે બાબતે મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application