ડીજીપીની મુલાકાત બાદ ડીસીબીમાંથી ૧૦ પોલીસમેનની અન્યત્ર બદલી કરાઇ

  • May 03, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છ પોલીસમેનના ડીસીબી મુકાયા: કોન્સટેબલ,હેડ કોન્સ. અને એએસઆઇ સહિત ૩૨ પોલીસમેનની બદલીના હુકમો


રાજય પોલીસ વડાની ગઇકાલે રાજકોટની મુલાકાત બાદ ક્રાઇમ બ્રાંચમાંથી ૧૦ કોન્સટેબલની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે.આ સહિત કુલ ૩૨ પોલીસમેનની બદલીના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે.


પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગઇકાલે બહાર કરેલા બદલીના હુકમોમાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ૧૦ પોલીસમેનની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે.જેમાં હેડ કોન્સ. ધર્મેશભાઇ પ્રભાતભાઇની પ્ર.નગર,એએસઆઇ સી.એમ.ચાવડાની પ્ર.નગર,હેડ કોન્સ. હરદેવસિંહ ઘનશ્યાભાઇની એ.ડિવિઝન,હેડ કોન્સ.દેવશીભાઈ કાનાભાઈની થોરાળા પોલીસ સ્ટેશન,કોન્સ. શૈલેષભાઈ અશ્વિનભાઈની માલવિયાનગર, એલઆર જયપાલભાઈ પ્રભાતભાઈની કુવાડવા રોડ,કોન્સ. નીલમ ભગવતીપ્રસાદની યુનિવર્સિટી, ભૂમિકા રાજુભાઈની પ્ર.નગર,નાઝનીન અબ્દુલભાઈની એસોજી અને રણજીતસિંહ સુખદેવસિંહની એ.ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.


આ ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશનમાંથી 6 પોલીસમેનની ડીસીબીમાં બદલી કરવામાં આવી છે જેમાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ હરપાલસિંહ ઘનશ્યામસિંહ, થોરાળાના વિક્રમ પ્રભાતભાઈ, યુનિવર્સિટીના સંજય રામજીભાઈ, માલવિયાનગરના હિરેન ગોપાલભાઈ સોલંકી,પ્ર.નગરના મહાવીરસિંહ મોહબ્બતસિંહ અને યુનિવર્સિટીના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ સિવાય કોન્સ્ટેબલ સુધાબેન ત્રિભુવનભાઈની તાલુકામાંથી મહિલા પોલીસ સ્ટેશનમાં કંટ્રોલરૂમમાંથી જયદીપભાઇ વિનોદભાઈની તાલુકા પોલીસ મથકમાં, એસીપી સાઉથમાંથી હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઈ રવજીભાઈની ટ્રાફિકમાં,ગાંધીગ્રામમાંથી કોન્સ્ટેબલ મહેશ નારણભાઈની તાલુકામાં, મુખ્યમથકમાંથી કોન્સ્ટેબલ સામંતભાઈ મૂળજીભાઈની પેરોલ ફર્લો સ્કોવોડમાં, યોગરાજસિંહ સબળસિંહની ટ્રાફિક શાખામાં, કનુભાઈ ગોદડભાઇની પ્ર.નગર પોલીસ મથકમાં, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહની એ.ડિવિઝન પોલીસ મથકમાં ક્રિપાલસિંહની બી.ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.તેમજ ટ્રાફિક શાખામાંથી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ લખુભાની કુવાડવા જયેન્દ્ર વસંતરાયની આજીડેમ અને બી.ડિવિઝનમાંથી એસઆઇ ભરતસિંહ વિજયદેવની એ.ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.


આ ઉપરાંત અન્ય ઓર્ડરમાં ડી ડીસીબી માં ટેલીફોનિક વર્ધીમાં ફરજ બજાવતા જયદેવસિંહ જયેન્દ્રસિંહને મુખ્ય મથકે તેમજ અગાઉ કોન્સ્ટેબલ રોહિત ધનસુખભાઈ કછોટની તાલુકામાં બદલી કરવામાં આવી હોય જે સુધારો કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. તેમજ ગાંધીગ્રામમાં ફરજ બજાવતા મશરીભાઇ ભેટરીયાને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે એટેચમાં ફરજ બજાવવા હુકમ કરાયો છે, તથા કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહિલની ડીસીબીમાંથી બી.ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવેલ જે હુકમ રદ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application