'ધ કપિલ શર્મા શો'માં પોતાની વાપસી બાદ કૃષ્ણા અભિષેકે સુનીલ ગ્રોવરના કમબેક પર કકરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું કોમેડીયને

  • May 17, 2023 08:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે લોકપ્રિય કોમેડિયન કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવરે કપિલ શર્મા શોને અલવિદા કહ્યું, ત્યારે ચાહકો તેમને ખૂબ જ યાદ કરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર, ચાહકો ઘણીવાર બંનેને શોમાં પાછા આવવા માટે કહેતા હતા. થોડા સમય પહેલા કૃષ્ણા અભિષેક શોમાં પરત ફર્યો છે. જોકે લોકો હજુ પણ સુનીલ ગ્રોવરની રાહ જોઈ રહ્યા છે.


આ દરમિયાન કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે શું સુનીલ ગ્રોવર પણ શોમાં કમબેક કરી શકે છે. તેમને પૂછવામાં આવ્યું કે જો તમે પાછા ફર્યા છો તો શું સુનીલ ગ્રોવર પણ પાછા આવશે.


આના પર કૃષ્ણા અભિષેકે કહ્યું, કેમ નહીં. કૃષ્ણાએ સુનીલના વખાણ કર્યા કે તે ખૂબ જ સારો કલાકાર છે અને તે તેનો ફેન પણ છે. સુનીલ ખૂબ સરસ કામ કરે છે. કૃષ્ણાએ વધુમાં કહ્યું કે તે ખૂબ જ સારો એક્ટર છે અને ઈચ્છે છે કે તે પાછો આવે. તેની સાથે કામ કરવામાં મજા આવશે.


કૃષ્ણા આ શોમાં સપનાની ભૂમિકામાં છે, જ્યારે સુનીલ ગ્રોવર ડૉ. મશૂર ગુલાટીના રોલમાં જોવા મળ્યો હતો. તે પોતાની કોમિક સ્ટાઈલથી લોકોને હસાવતો હતો. તેનું કામ, તેની કોમેડી બધાને પસંદ આવી.
​​​​​​​

કૃષ્ણા અને શો વચ્ચે પૈસા અને કોન્ટ્રાક્ટને લઈને કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે તેણે શો છોડી દીધો હતો. કરારમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જે પછી તે ફરીથી શોમાં પાછો ફર્યો છે અને લોકોને હસાવી રહ્યો છે. જો કે, કપિલ શર્મા શો એક ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે જે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application