લગ્નમાં ફોટા પડાવવા માટે લોકો મોંઘા ફોટોગ્રાફરોને હાયર કરે છે અને તગડી રકમ ચૂકવીને તેમના ફોટા પડાવી લે છે. કદાચ લોકો એ તસવીરો ફરી ક્યારેય જોતા પણ નથી, તેમ છતાં તેઓ ફોટોગ્રાફીમાં લાખો રૂપિયા ખર્ચે છે. આવી સ્થિતિમાં જો પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય તો શું ફોટોગ્રાફરની જવાબદારી બને છે કે તે લગ્નમાં લીધેલા ફોટાને પરત કરી પૈસા પરત કરે? બિલકુલ નહીં, પરંતુ એક મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા પછી ફોટોગ્રાફર પાસેથી રિફંડની માંગણી કરી હતી.
તાજેતરમાં ટ્વિટર એકાઉન્ટ લાન્સ રોમિયો ફોટોગ્રાફી @LanceRomeo પર WhatsApp ચેટના કેટલાક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા છે જે જોઈ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત છે.
મહિલાએ લખ્યું- હાય રોમિયો, કેમ છો? મને ખબર નથી કે તમે મને ઓળખી કે નહીં પરંતુ વર્ષ 2019માં તમે ડરબનમાં મારા લગ્નનું ફોટોશૂટ કરાવ્યું હતું. પછી વ્યક્તિ જવાબ આપે છે કે કેવી રીતે મદદ કરી શકે છે. આ પછી મહિલા લખે છે - હવે મારા છૂટાછેડા થઈ ગયા છે, અને હવે હું મારા પૂર્વ પતિ સાથેની તસવીરો નથી ઈચ્છતી. તમે ખૂબ સરસ કામ કર્યું છે, પરંતુ હવે તે ફોટા નકામા છે કારણ કે અમે છૂટાછેડા લીધા છે. હવે મારે એ પૈસા પાછા જોઈએ છે જે અમે તમને લગ્ન સમયે આપ્યા હતા.
આ બાબતે ફોટોગ્રાફરે પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો તો મહિલાએ કહ્યું કે તેનો વકીલ હવે તેમને જવાબ આપશે. ફોટોગ્રાફરને વિશ્વાસ જ નહોતો આવતો કે તેણે આવું કંઈક જોવું પડશે. તેણે વીડિયો બનાવીને આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ તેણે મહિલાના પતિનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો. પતિએ તેના વતી માફી માંગી છે. આ ફની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો વિચારી રહ્યા છે કે એક મહિલા આવું કેવી રીતે કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech