ખંભાળિયામાં લાંબા સમય બાદ કાયમી મામલતદાર મુકાયા

  • August 07, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા દોઢેક વર્ષથી રેગ્યુલર મામલતદારની જગ્યા ખાલી હતી. અહીં સાતેક જેટલા મામલતદારો આ સમયગાળામાં બદલાઈ ગયા હોવાથી અહીં ઇન્ચાર્જથી ચાલતા વહીવટમાં અરજદારોને હાલાકી તેમજ અન્ય કામગીરી ખોરંભે પડતી હતી.


અહીંની કચેરીમાં બે-ત્રણ મહિને ઇન્ચાર્જ બદલતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જે અંગે અહીંના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો તેમજ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવતા તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ૬૧ જેટલા મામલતદારોની સામૂહિક બદલીમાં દ્વારકાના મામલતદાર વિક્રમભાઈ વરૂની નિમણૂક ખંભાળિયાના મામલતદાર તરીકે કરવામાં આવી છે. મામલતદાર વિક્રમભાઈ વરુ મૂળ લાલપુર તાલુકાના નાંદુરી ગામના વતની છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application