હાર્દિક બાદ ટીમ ઈન્ડિયાનો પાવરફુલ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ન્યુઝીલેન્ડ સામે નબળી પડી રહી છે કેપ્ટન શર્માની સેના

  • October 21, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતને આવતીકાલે રમાનાર મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો ધર્મશાલામાં સામસામે ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પહેલેથી જ હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ માંથી બહાર થઇ ગયા છે, જેથી પ્લેઇંગ 11 માં મોટો તફાવત સર્જાયો છે.


ત્યારે હવે હાર્દિક પંડ્યા બાદ રવિન્દ્ર જાડેજાની ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. રવીન્દ્ર જાડેજાની ઈજાને રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજા બહુ ગંભીર નથી. જો કે રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે રમી શકશે નહીં તેવી શક્યતા ઘણી ઓછી છે.


ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકો માટે આ રાહતના સમાચાર છે. બીસીસીઈના સૂત્રએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા સ્વસ્થ છે. જ્યારે કોઈની સર્જરી થાય છે, ત્યારે તમારે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેવું પડે છે. પરંતુ સારી વાત એ છે કે રવિન્દ્ર જાડેજાની ઈજા બહુ ગંભીર નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application