હત્યા પ્રયાસના ગુનામાં ગરાણા બંધુઓનો નિર્દોષ છુટકારો

  • July 18, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૯-૧-૨૦૧૮ ના રોજ બર્ધન ચોક જુમા મસ્જીદ સામે સાગર રાજુભાઇ પરમારની લાકડીઓના પથારાની જગ્યાએ આરોપી ગરાણા બંધુઓએ પોતાની કટલેરીની રેકડીઓ રાખવા બાબતે બોલાચાલી કરી ગેરકાયદેસર મંડળી રચી એકસંપ કરી પ્રાણઘાતક હથિયાર ધારણ કરી આરોપીઓ રફીક ગુલામહુશેન મેતર ગરાણા, સલીમ ગુલામહુશેન મેતર ગરાણા, શકીલ ગુલામહુશેન મેતર ગરાણા, ગુલજાર ઉર્ફે ગુલામહુશેન મેતર ગરાણા, જાવીદ ઉર્ફે જાવલો ફારુકમુલ્લા કાજીએ સાગરને માર મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપ વતી સાગરને માથાના વચ્ચેના ભાગે પાઇપ વતી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ કરી લાકડીઓ વતી સાગર તથા કસ્તુરબેન ધનાભાઇ પરમારને મારકુટ કરી મુંઢ ઇજા કરી  જિલ્લા મેજી. ના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત સાગર રાજુભાઇ પરમાર દ્વારા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી ચાર્જશીટ કરેલ, જે કેસ જામનગર પ્રિનસીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એસ.કે. બક્ષીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

​​​​​​​આ કેસમાં આરોપીઓ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે.સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application