નેગો.ના ગુનામાં સજા પામેલ આરોપી ઝબ્બે

  • March 10, 2023 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયા બાદ નાસતા ફરતા આરોપીને એક બાતમીના આધારે સત્યમ કોલોની ગેઇટ પાસેથી એસઓજીની ટુકડીએ દબોચી લીધો હતો.


જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના હર્ષદકુમાર ડોરીયા, અનિરુઘ્ધસિંહ ઝાલા, રાજેશભાઇ મકવાણા, ચન્દ્રસિંહ જાડેજાને હકીકત મળેલ કે, નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ના કામેનો આરોપી દિનેશ શેષ્વજી ઉર્ફે કેશવજી કાસુન્દ્રા (ઉ.વ.૪૩) રહે. સત્યમ શિવમ સોસાયટી, પ્લોટ નં. ૨૨/૨૩, સત્યમ કોલોની, એરફોર્સ-૨ રોડ, જામનગરવાળો હાલ સત્યમ કોલોનીના ગેઇટ સામે, પાનની દુકાન પાસે ઉભો હોવાની હકીકત મળતા એ જગ્યાએ જતા ઉપરોકત નામવાળો આરોપી મળી આવેલ જે છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય જેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application