પલ્મોનરી ફાઈબ્રોસિસ એ ફેફસાંનો ગંભીર રોગ છે જેનો કોઈ ઈલાજ નથી. સંબંધિત સંશોધનમાં, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને પલ્મોનરી ફાઇબ્રોસિસ વચ્ચેનો સંબંધ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ ફેફસાના રોગોથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તાજેતરમાં, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા (યુવીએ) ના કેટલાક સંશોધકોએ ફેફસાંમાં થતો રોગ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને પલ્મોનરી ફાઇબ્રોસિસ વચ્ચે નો સંબંધ શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ સંશોધનમાં જે જાણવા મળ્યું તે ઘણું ચોંકાવનારું છે. પરંતુ આ પહેલા એ જાણવું જરૂરી છે કે પલ્મોનરી ફાઈબ્રોસિસ શું છે. ક્લેવલેન્ડ ક્લિનિક મુજબ, પલ્મોનરી ફાઇબ્રોસિસ એ ફેફસાના ગંભીર રોગોનું એક જૂથ છે જે ફેફસાંને એટલી હદે નુકસાન પહોંચાડે છે કે તે આખરે મૃત્યુ તરફ દોરી શકે છે. કારણ કે ફેફસાંની સ્થિતિ ધીમે-ધીમે ખરાબ થતી જાય છે અને ફેફસાના ટિશ્યૂ ટાઈટ થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ આ અભ્યાસની મદદથી આ બીમારીમાંથી થોડી રાહત મળવાની આશા દેખાઈ રહી છે.
અભ્યાસમાં શું જાણવા મળ્યું?
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોહીમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે ફેફસાં વધુ સારી રીતે કામ કરી શકે છે અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ વિના પણ પલ્મોનરી ફાઈબ્રોસિસના દર્દીઓના ફેફસાં વધુ સારી રીતે લાંબા સમય સુધી કામ કરી શકે છે. આ સંશોધન માટે યુ.વી.એ અને શિકાગો યુનિવર્સિટીમાં 300 થી વધુ ફેફસા સંબંધિત રોગના દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે ધૂમ્રપાન અને હૃદયરોગ હોવા છતાં, ઓમેગા -3 ફેટી એસિડનું ઉચ્ચ સ્તર ફેફસામાં વધુ સારી રીતે ગેસ એક્સચેન્જ થાય છે. જેથી દર્દી ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ વિના પણ લાંબા સમય સુધી સારું જીવન જીવી શકે. જો કે, આ સંદર્ભે વધુ સંશોધનની જરૂર છે.
ઓમેગા -3 ફેટી એસિડ્સ અન્ય ઘણી સ્વાસ્થ્ય સ્થિતિઓને રોકવામાં મદદરૂપ છે, જેમ કે હૃદય રોગ, સ્ટ્રોક, ડેમેંસીયા વગેરે. તેથી, તેને તમારા આહારમાં સામેલ કરવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.
ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર કેટલાક ખાદ્ય પદાર્થો
સૅલ્મોન
ઓમેગા-3 ફેટી એસિડની સાથે તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમાં વિટામિન ડી પણ જોવા મળે છે જે મગજ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે.
અળસીના બીજ
તે ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ પણ ભરપૂર હોય છે જેના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
અખરોટ
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, વિટામીન E અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે મગજ અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
સોયાબીન
સોયાબીન પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તે ઓમેગા-3 ફેટી એસિડ તેમજ ફોલેટ, વિટામિન K અને પોટેશિયમથી ભરપૂર છે.
કૉડ લિવર તેલ
કૉડ લિવર તેલ કૉડ માછલીના યકૃતમાંથી કાઢવામાં આવે છે અને તેને ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech