લંપટ આચાર્ય સામે તપાસ કરવા એબીવીપી દ્વારા ડીઇઓને રજુઆત

  • April 19, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૧૫ વર્ષની વિધાર્થીની પર દુષ્કર્મ આચરનાર આચાર્ય સામે સધન તપાસની માંગણી અખીલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે અને ડીઇઓને રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે આચાર્ય મનિષ બુચ દ્વારા વિધાર્થીની પર દુષ્કર્મ કરવામાં આવ્યુ હતું. તેની સામે ડીઇઓ દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે, ઉપરાંત વર્તમાનમાં મનિષ બુચ જે કેમ્પસમાં નોકરી કરે છે તેની ત્યાં ડીઇઓ દ્વારા તપાસનો આદેશ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઇ બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગણી એબીવીપીના નગર મંત્રી દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application