નેગોશીએબલના ગુનાનો ફરાર આરોપી જામનગરમાં ઝડપાયો

  • February 08, 2023 11:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેગોશીયેબલના ગુનામાં છ માસની સજા થયેલ અને નાસતા ફરતા આરોપીને શહેરની જનતા ફાટક પાસેથી જામનગર એસઓજીએ પકડી પાડયો છે.


જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી .શાખાના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના શોભરાજસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા તથા અનિરુઘ્ધસિંહ ઝાલાને હકીકત મળેલ કે ૧૦માં એડી. ચીફ જયુડી મેજી.ની કોર્ટના ક્રીમીનલ કેશના કામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ના કામે કોર્ટે તકસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.


આરોપી પરેશ મસરી છૈયા (ઉ.વ.૩૬) રહે. માધવબાગ-૧, આશાપુરા એવન્યુ, ફલેટ નં. ૪૦૧ જામનગરવાળો હાલ જનતા ફાટક, રામાયણ પાન પાસે ઉભો છે તેવી હકિકત મળતા એ જગ્યાએ જતા ઉપરોકત નામવાળો આરોપી મળી આવેલ જે છેલ્લા દસ માસથી નાસતો ફરતો હતો, જેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application