ગોંડલ ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને પૂરપાટ ઝડપી ધસી આવેલી બોલેરોએ હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું. અકસ્માત બાદ બોલેરોચાલક વાહન લઇ નાસી ગયો હતો. જામનગર રોડ પર ઘંટેશ્વરમાં રહેતો અને ખાનગી કંપ્નીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરનાર યુવાન આરટીઓ કામ સબબ જતો હતો દરમિયાન આ ઘટના બની હતી. આ મામલે આજીડેમ પોલીસે અકસ્માત સજીર્ નાસી ગયેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઘંટેશ્વર 25 વારીયામાં રહેતો અને રિલાયન્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરનાર વર્ષિલ અમિતભાઈ પરમાર(ઉ.વ 18) નામનો યુવાન ગઈકાલ બપોરના સમયે ગોંડલ ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ નજીક ચાલીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરોએ તેને ઠોકરે કરી લીધો હતો બાદમાં બોલેરો ચાલક વાહન લઇ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ઘસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવાન ખાનગી કંપ્નીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હોય ગઈકાલે કંપ્ની તરફથી તેઓને જમવા માટે લઈ ગયા હતા બાદમાં પરત ફરતી વેળાએ યુવાનને આરટીઓ કચેરી કામ હોય જેથી તે ગોંડલ ચોકડી પાસે ઉતરી ગયો હતો અને ચાલીને આરટીઓ તરફ જતો હતો. દરમિયાન આ ઘટના બની હતી યુવક બે બહેનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા અવસાન પામ્યા હોય પરિવાર માટે આધારસ્તંભ સમાન હતો. યુવાનના આ રીતે ઓચિંતા મોતથી રજપૂત પરિવાર આઘાતમાં સરી પડયો હતો.બનાવવા અંગે યુવકના કાકા મયુર મનસુખભાઈ પરમાર (ઉ.વ 32 રહે. ઘંટેશ્વર 25 વારિયા)ની ફરિયાદ ઉપરથી આજીડેમ પોલીસે અકસ્માત સજીર્ નાસી ગયેલા બોલેરોચાલક સામે ગુનો નોંધી તેની ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ. એમ.ડી.લોખીલ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech