નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. સરકારે લોકોને રાહત આપતા કોઇ નવા કરવેરા લગાવ્યા નહોતા. જૂના કરવેરાને યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે બજેટમાં પ્રવાસન વિભાગના વિકાસ માટે ૨૦૯૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યના યાત્રધામોને વિકસાવવા બજેટમાં કરાયું માસ્ટરપ્લાનિંગ
યાત્રધામ પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ ૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને ત્રીજા અને ચોથા તબકકામાં કુલ ર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન કરાયું છે. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ ૧૧૭ કરોડના ખર્ચે આયોજન છે તો શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે `૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન કરાયું છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા ૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન થશે. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ૭૯ કરોડની જોગવાઈ કરાઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે બનશે દેશી રજવાડાઓનું સંગ્રહાલય
રાજ્યના પ્રખ્યાત એવા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે `૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઈ. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે ૨૫ કરોડની ફાળવણી કરાઈ છે. એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું પણ આયોજન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech