અમરેલીના સરંભડામાં ૧૪ વર્ષ પહેલાના હત્યાના ગુનામાં એકને આજીવન કેદ

  • December 08, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી તાલુકાના સરંભડા ગામે ૧૪ વર્ષ પહેલાં અગાઉના મનદુ:ખના કારણે તે જ ગામે રહેતા છ જેટલાં શખ્સો એ સશસ્ત્ર  હુમલો કરી એક ઇસમ સરા જાહેર બેરેહમીથી હત્યા નીપજાવી  દીધેલ હતી. જ્યારે આ બનાવમાં બે લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. આ અંગેનો કેસ અમરેલીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દ્વારા એક આરોપીને આજીવન કેદ તથા રૂપિયા ૬૪ હજારના દંડની સજાનો હુકમ કરવામાં આવેલ છે.



આ બનાવમાં અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતા રાજુભાઇ પીઠાભાઈ વાળા, તેમના ભાઈ જયરાજભાઈ પીઠાભાઈ વાળા તથા તેમના પિતા પીઠાભાઈ વાળા ઉપર ગત તા.૨૨-૫-૨૦૧૦ના રોજ સવારે સરંભડા ગામે અગાઉના મનદુ:ખના કારણે તે જ ગામે રહેતા  દિલુભાઈ ટપુભાઈ વાળા સહિત છ જેટલાં લોકોએ ગુન્હાહિત ઇરાદો બર લાવવા સારું સશત્ર હુમલો કરી જયરાજભાઈ પીઠાભાઈ વાળાનું  ઢીમ ઢાળી દીધું હતું. ત્યારે આ બનાવમાં રાજુભાઇ પીઠાભાઈ વાળા તથા તેમના પિતા પીઠાભાઈ વાળાને ગંભીર ઈજા થવા પામી હતી.


આ અંગેનો કેસ અમરેલીની એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં  સરકારી વકીલ જે.બી. રાજગોરની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપી દિલુભાઈ ટપુભાઈ વાળાને કલમ ૩૦૨માં આજીવન કેદ તથા  અલગ અલગ કલમમાં રૂપિયા ૬૪ હજારના દંડની સજાનો હુકમ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application