દબાણ હટાવ શાખા પર પ્રશ્નોની રમઝટ : ભાજપના જ કોર્પોરેટરોનો આક્ષેપ, અધિકારીઓ અગાઉ જાણ કરી દે છે, પૈસા ઉઘરાવે છે, કોંગ્રેસના ભાનુ સોરાણીનું જનરલ બોર્ડમાંથી વોકઆઉટ

  • September 20, 2023 02:06 PM 

રાજકોટ મનપાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં શાસક અને વિપક્ષ વચ્ચે પ્રશ્ન પૂછવા બાબતે બઘડાટી બોલતા કોંગ્રેસના ભાનુબેન સોરાણીએ વોકઆઉટ કર્યું હતું. કોર્પોરેટર જ્યોત્સના ટિલાળાએ હોકર ઝોન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. કલાકની આ સામાન્ય સભામાં કોર્પોરેટરોએ દબાણ હટાવ શાખાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. દબાણ હટાવ શાખાના અધિકારીઓ ચેકીંગ કરવા પહોંચે તે પહેલાં જ દબાણકર્તાઓ ત્યાંથી હટી જતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે અધિકારીઓ અને કર્મચારીઓ પૈસાની વસૂલાત કરતા હોવાનું પણ સામે આવ્યું છે. શહેરના ગુંદાવાડીમાં દુકાનધારકો રસ્તા સુધી દબાણ કરીને ધંધો કરતા હોય છે. આ સાથે પુષ્કરધામ રોડ પર હોકર ઝોન હોવા છતાં હોકર ઝોનની બદલે ફેરિયાઓ બહાર વેપાર કરતા હોય છે અને હોકર ઝોન ખાલીખમ જોવા મળતો હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે મનપાની સામાન્ય સભામાં ધારાસભ્ય ડો.દર્શીતા શાહે વન ડે વન વોર્ડની કામગીરી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. મહત્વનું છે કે, જનરલ બોર્ડમાં મહિલાઓ માટે ખાસ હોકર ઝોન બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફક્ત મહિલાઓ છે વેપાર ધંધો કરી શકશે. આ સિવાય આવાસધારકો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ક્યાં વર્ગના લોકોને ક્યાં પ્રકારના આવાસ મળી શકે તે માટેની માહિતી લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application