કેન્દ્રીય મંત્રીએ કરેલા અશોભનીય વિધાનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલા વિરોધમાં કૃષ્ણકુમારસિંહજીના વંશજ પણ જોડાયા કહ્યું, સમાજનો રોષ યોગ્ય છે.
કેન્દ્રીય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ રાજપૂત સમાજ અંગે કરેલા વિધાન નો હું સખ્ત વિરોધ કરૂં છું, અને હાલ સમગ્ર રાજપૂત સમાજ દ્વારા લોકસભાના ઉમેદવારે કરેલા અશોભનીય ઉચ્ચારણનો હાલ રાજપૂત સમાજ દ્વારા ચાલી રહેલો વિરોધ એક્દમ વ્યાજબી છે. તેમ અખંડ ભારત માટે સૌપ્રથમ પોતાનું રજવાડું દેશને સમર્પિત કરનાર ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ યુવરાજ જયવીરસિંહજીએ જણાવી ઉમેર્યું હતું કે આવા લોકોને ક્યારેપણ માફ ન કરાય
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા એક સમાજના આયોજિત કાર્યક્રમમાં રાજપૂત સમાજ માટે અશોભનીય વિધાન કરાતા ભાવનગર સહિત સમગ્ર ભાવનગર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ દ્વારા ચાલી રહેલા વિરોધમાં હવે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ યુવરાજ જયવીરસિંહજીએ પણ સમર્થન આપી આ વિરોધમાં સામેલ હોવાનું જણાવી વયોવૃધ્ધ એવા પરષોત્તમ રૂપાલા જેવી વક્તિ નીચ કક્ષાના શબ્દો બોલે તે બાબત ઘણી જ દુઃખદ છે.
તેમણે રોષ પૂર્વક વધુમાં જણાવ્યું હતું. કે ભાજપમાં સામેલ એવા મોટા નેતાઓ હવે રાજપૂત નહીં બલ્કે ભાજપૂત થઈ ગયા છે. તેમ તેમણે ઉમેરી કહ્યું હતું. કે રાજપૂત સમાજ વિષે કરવામાં આવેલા ઉચ્ચારણોથી પરષોત્તમ રૂપાલાને કદી માફ કરી શકાય નહીં. રહી વાત તેમની ટીકીટ રદ થવાની, તો તેની ટીકીટ રદ થાય કે યથાવત રહે તેમાં મને બિલકુલ રસ નથી. અને ભવિષ્યમાં જો મળવાનું થાય તો તેમની સાથે જય માતાજી સિવાઈ કશી પણ વાત નહીં કરૂં. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech