ચલાલામા જમીનના ભાગલા પાડવાની તકરારમા નવમી માર્ચના રાત્રીના યુવાનના માથામા લોંખડના પાઇપ વડે જીવલેણ હત્પમલો કરતા યુવકને મરણોતલ ઇજા થતાં સારવારમાં દરમિયાન મોત નિપયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
મુળ ઉના પાસેના મિતાલી વડલી ગામના અને હાલ વર્ષેાથી ધારી તાલુકાનું ચલાલા–મીઠાપુર(ડુંગરી) ગામે હરીધામ સોસાયટીમાં રહી મજુરી કામ કરી પોતાના પરિવાર સાથે રહેતા જયસુખભાઈ કેશવભાઈ મોણપરાનો પાંત્રીસ વર્ષનો પુત્ર નિકુંજ તા. ૯ના રાત્રીના નવેક વાગે તેમના મિત્ર લાલાભાઇ હિરપરાને ત્યા ગયેલ ત્યા લાલાભાઇ હિરપરા અને તેમના ભાઈ ભાવેશભાઇ હિરપરા વચ્ચે જમીન વહેચણીની તકરાર ચાલતી હોય. તેમા નિકુંજ મોણપરા વચ્ચે પડી તેમના મિત્ર લાલાભાઇ હિરપરા સાથે તેઓના સંબધીને ત્યા બે દિવસ પહેલા સાવરકુંડલા ગયેલ હોય તે ભાવેશભાઇ હિરપરાને સા નહી લાગતા અને તેનુ મનદુ:ખ રાખી આરોપી ભાવેશ ધીભાઈ હિરપરાએ સાવરકુડલા રોડ પર તેના રહેણાકના ધર પાસે રાત્રીના સમયે નિકુંજ મોણપરાને જાનથી મારી નાખવાની ધમકી આપી લોંખડની પાઇપ વડે હત્પમલો કરતા નિકુંજને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે પ્રથમ અમરેલી બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. પરંતે ટૂંક સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. બનાવના પગલે પોલીસે ભાવેશ ધીરૂભાઇ હીરપરા સામે હત્યાની કલમનો ઉમેરો કરી તેની શોધખોળ ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઇ જી.આર.વસૈયા અને તેની ટીમ દ્રારા કરવામાં આવી હતી. બાતમીના આધારે આરોપી ભાવેશ ધીભાઈ હિરપરાને અમદાવાદથી ગઇ રાત્રે દબોચી લઇ રીમાન્ડ મેળવવાની તજવીજ કરવાનમાં આવી હતી.
મૃતક નિકુંજ એકનો એક ભાઇ હતો સંતાનમાં ચાર વર્ષનો દિકરો છે આગામી તા.૧–૫ના રોજ બહેનના લમાં ભાઇ જવતલયો બને એ પહેલા જ મોત થતાં પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech