ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે યુવાનનું મૃત્યુ

  • October 01, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં રહી અને એક દંગાની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રફુલભાઈ ઉગાભાઈ વાઘેલા નામના 36 વર્ષના યુવાનને ગત તારીખ 29 મી ના રોજ સાંજના સમયે તેમની દંગાની ઓફિસમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મયુરભાઈ ઉગાભાઈ વાઘેલાએ ઓખા મરીન પોલીસને કરી છે.


ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

ખંભાળિયામાં ભાણવડ માર્ગ પરથી પોલીસે મૂળ આંબરડી ગામના અને હાલ સગારીયા ગામના રહીશ ભારત ખેંગારભાઈ માતંગ નામના 32 વર્ષના શખ્સને વિદેશી દારૂની સાત બોટલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 8,255 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂની આ બાટલીઓ તેણે મોટા કાલાવડ ગામના દીપક ઉર્ફે દીપુ વારોતરીયા પાસેથી લીધી હોવાનું ખૂલતાં પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.


દ્વારકામાં યાત્રિકોની નોંધ ઓનલાઈન સોફ્ટવેરમાં ન કરાતા હોટેલ સંચાલકો સામે કાર્યવાહી

દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા દ્વારકા સ્ટે હોમના સંચાલક દિલીપભાઈ માવજીભાઈ સોનગરા (ઉ.વ. 50) તેમજ ધીંગેશ્વર મહાદેવ મંદિર સામેની ગલીમાં આવેલા મહાકાળી ભવન ગેસ્ટ હાઉસના સંચાલક જયદીપભાઈ દેવજીભાઈ કણજારીયા (ઉ.વ. 39) અને રામપરા વિસ્તારમાં આવેલા જય ભવાની ભવન ગેસ્ટ હાઉસના સંચાલક જગદીશ રમેશભાઈ ગોહેલ (ઉ.વ. 40) દ્વારા પોતાના ગેસ્ટ હાઉસમાં આવતા યાત્રિકોની નોંધ પથિક સોફ્ટવેરમાં ન કરતા આ ત્રણેય આસામીઓ સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application