ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોને ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપવા માટે 7 સભ્યોનું પ્રતિનિધિમંડળ બનાવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં શશિ થરૂર રવિશંકર પ્રસાદ, સંજય કુમાર ઝા, બૈજયંત પાંડા, કનિમોઝી, સુપ્રિયા સુલે અને શ્રીકાંત શિંદે પણ સામેલ છે. જેમાં હવે કોંગ્રેસને થરૂરના નામ સામે વાંધો છે અને પાર્ટીનું કહેવું છે કે તેમનું નામ પ્રસ્તાવિત પણ નહોતું.
હકીકતમાં, કોંગ્રેસના નેતા જયરામ રમેશે ખુલાસો કર્યો છે કે કેન્દ્રના રાજદ્વારી સંપર્ક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે પસંદ કરાયેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરની ભલામણ પાર્ટી દ્વારા કરવામાં આવી ન હતી. કેન્દ્ર દ્વારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ માટે સાત સાંસદોના નામ જાહેર કર્યા પછી, કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે પક્ષ દ્વારા ભલામણ કરાયેલા સાંસદોના નામ જાહેર કર્યા.
જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. રિજિજુએ પ્રતિનિધિમંડળ માટે પાર્ટી પાસેથી ચાર સાંસદોના નામ માંગ્યા હતા. થોડા કલાકો પછી, રાહુલ ગાંધીએ રિજિજુને ચાર નામ મોકલ્યા જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નાસિર હુસૈન અને રાજા બ્રારનો સમાવેશ થાય છે પરંતુ થરૂરનું નામ ન હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એવા સમયે પ્રતિનિધિમંડળ માટે શશિ થરૂરના નામની જાહેરાત કરી છે જ્યારે થરૂર કેન્દ્રની પ્રશંસા કરવા બદલ તેમની પાર્ટી તરફથી ટીકાનો સામનો કરી રહ્યા છે. શશિ થરૂર ઉપરાંત, છ અન્ય સાંસદો પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ છે જે વિશ્વને આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો ભારતનો મજબૂત સંદેશ પહોંચાડશે.
કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે એવા સમયે જ્યારે વડા પ્રધાન મોદી અને તેમના વિદેશ પ્રધાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે, ત્યારે દેશને એક એવા અવાજની જરૂર છે જે આદરને પાત્ર હોય.
કોંગ્રેસ પાર્ટીએ કહ્યું ભાજપમાં પ્રતિભાના અભાવને ઓળખવા અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે કોંગ્રેસના નેતાની પસંદગી કરવા બદલ અમે સરકારની પ્રશંસા કરીએ છીએ. તેમાં કહેવામાં આવ્યું છે કે અમને વિશ્વાસ છે કે શશિ થરૂર વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી ભૂલોને સુધારશે.
આ પ્રતિનિધિમંડળો ક્યાં જશે?
આ દરેક પ્રતિનિધિમંડળ લગભગ પાંચ દેશોની મુલાકાત લઈ શકે છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને ભારતના મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારો શામેલ હશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેક પ્રતિનિધિમંડળમાં ભારતના વરિષ્ઠ અને અનુભવી રાજદ્વારીઓનો પણ સમાવેશ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech